નવી દિલ્હી: કોરોનાના કેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. ભારતમાં પણ હાહાકાર મચ્યો છે. આ બાજુ મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર તો કબ્રસ્તાન બની રહ્યું છે. કબ્રસ્તાન કહેવાનું તાત્પર્ય અહીંના 4 કબ્રસ્તાન સંલગ્ન છે. જેની પાછળ અસલિયત શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે શું છે આ વધતી લાશોનું રહસ્ય?
મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર ભારતના સૌથી ક્લિન શહેરની સૂચિમાં પહેલા નંબરે આવે છે. પરંતુ અચાનક આ શહેરમાં લાશોની સખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. શું અહીંના ચાર કબ્રસ્તાનોનું તેની સાથે કોઈ કનેક્શન છે?


આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી? આ રહ્યો જવાબ


હકીકતમાં ઈન્દોરના ચાર કબ્રસ્તાનમાં 1થી 5 તારીખની વચ્ચે 127 લાશોને દફનાવવામાં આવી હતી. અને 7માં દિવસે તો આ આંકડો 145 પર પહોંચી ગયો. એટલું જ નહીં આઠમા દિવસે તો આ આંકડો 163 પર પહોંચ્યો. સમસ્યા કબ્રસ્તાનમાં દફનાવવાથી નથી. મુખ્ય વાત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કબ્રસ્તાનના આંકડાઓ પર નજર ફેરવે તો ખરેખર તેના મનમાં અનેક સવાલો ઊભા થાય. 


શું કહે છે આંકડા?
મળતી માહિતી મુજબ સમગ્ર માર્ચ મહિનામાં આ ચારેય કબ્રસ્તાનમાં બધુ મળીને કુલ 130 લાશ દફન કરાઈ હતી. પરંતુ એપ્રિલ માસના પહેલા જ અઠવાડિયામાં આ લાશોની સંખ્યા મહિનાની સંખ્યાને પાર કરી ગઈ. એટલે કે એક મહિનામાં જેટલી લાશો લગભગ દફન થતી હોય છે તેટલી સંખ્યા એક જ અઠવાડિયામાં પહોંચી ગઈ. 


કોરોનાનો હાહાકાર, UPમાં 15 જિલ્લાના 104, દિલ્હીમાં 20 હોટસ્પોટને કરાયા સંપૂર્ણ સીલ


જાણકારી તો એ પણ સામે આવી રહી છે કે એક જ દિવસમાં 18 જનાજા જોવા મળી રહ્યાં છે. એટલુ જ નહીં ફક્ત તે જ ચાર કબ્રસ્તાનમાં જનાજા પહોંચવાનો સિલસિલો ચાલુ છે જે ખાસ ક્વોરન્ટાઈન એરિયા માટે જ છે. 


તો શું ઈન્દોરમાં બની ગઈ છે કોરોના કબર?
અત્રે જણાવવાનું કે શહેરમાં આઝાદનગર, ટાટાપટ્ટી બાખલ-સિલાવટપુરા, રાનીપુર-દૌલતગંજ-હાથીપાલા, ખજરાના, ચંદનગર, અને બોમ્બે બજાર વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube